• 0
  • No Items available
x

Valmiki Ramayana-Sar (વાલ્મીકિ-રામાયણ-સાર)


Categories: Religion
Book Type: epub
Book Size: 686.17 KB | ISBN(13): 9789351750598
Download Sample Preview Book From Mobile


મૂળ વાલ્મીકિ રામાયણના ચોવીસહજાર શ્લોકો છે જે સાત કાંડોમાં રચાયેલા છે. જો વાલ્મીકિને આદિ કવિ માનીએ તો તેમને કોઈ કવિનો વારસો મળ્યો નથી તેમ કહેવાય. તેમ છતાં તેમણે જે ક્રમથી રામાયણ રચ્યું છે તે ખરેખર અદ્ભુત જ કહેવાય. તેમની વર્ણનશક્તિ ગજબની છે. કાળાન્તરમાં આમાં કેટલોક પ્રક્ષિપ્ત ભાગ પણ ઉમેરાતો રહ્યો છે. મારી દૃષ્ટિએ રામાયણને ઇતિહાસની દૃષ્ટિએ મૂલવવું ન જોઈએ. આમાં ઘણું મિથ પણ છે. ઇતિહાસમાં મિથ ન હોય અને મહાકાવ્યો મિથ વિનાનાં ભાગ્યે જ હોય, તેથી રામાયણને મહાકાવ્ય તરીકે જ સ્વીકારવું જોઈએ. જોકે તેમાં ધર્મની એટલી બધી વિભાવનાઓ ભરી છે કે તે પાત્રાત્મક ધર્મગ્રંથ બની ગયું છે. આજે પણ તેનું એકેએક પાત્ર પ્રેરણા જ પ્રેરણા આપતું રહે છે.


Hand-picked Items Recommended by Us